ભારત પર મંડરાઈ રહ્યું છે ખતરનાક સંકટ: 90 દિવસ પછી દેખાશે અસર, અત્યારથી થઈ જાવ સાવધાન હવામાન વિભાગે સોમવારે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જે ભારતના ખેડૂતોની ખરી કસોટી કરવાનો મૂડ છે. આ વર્ષે ચોમાસું દગો આપી શકે છે અને આગામી 90 દિવસની અંદર ભારતના ગ્રામીણ વિસ્તારથી શહેરોની થાળી સુધી તેની ઊંડી અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન વરસાદ સામાન્યથી ઓછો રહેવાનો છે. કુલ વરસાદ લાંબા ગાળાના સરેરાશનો ખાલી 92 ટકા રહેવાનું અનુમાન છે. વૈજ્ઞાનિકો માટે સૌથી વધારે ચિંતાની વાત જૂન નહીં પણ જુલાઈ બાદનો સમય છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રન અનુસાર, વર્તમાનમાં લા નીનાની સ્થિતિ નબળી પડી રહી છે અને જુલાઈ સુધી અલ નીનો એક્ટિવ થઈ જશે. અલ નીનો એક એવી વૈશ્વિક સમુદ્રી સ્થિતિ છે, જે ભારતમાં દુષ્કાળ અને ઓછા વરસાદ માટે જવાબદાર માનવામાં આવે છે. તેનો મતલબ છે કે જ્યારે પાકને સૌથી વધારે પાણીની જરૂર હોય છે, ત્યારે આકાશમાંથી આગ વરસશે અને વાદળો ગાયબ રહેશે. ભારતનો 75 ટકાથી વધુ વરસાદ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થાય છે. દેશની કૃષિ અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચોમાસાના બીજા ભાગ જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સામાન્યથી ઓછો રહેવાનો છે. આ સમયગાળામાં કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર મોટો અસર થઈ શકે છે. અલ નીનો પ્રશાંત મહાસાગરની એક જટિલ મૌસમી ઘટના છે. જે ત્યારે થાય છે, જ્યારે દક્ષિણ અમેરિકાના તટ પાસે પૂર્વ પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી ગરમ થઈ જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં આ વ્યાપારિક હવા ગરમ પાણીને પશ્ચિમ તરફ ધકેલે છે, પણ અલ નીનો દરમિયાન આ હવા નબળી પડી શકે છે. જેનાથી ગરમ પાણી પાછું પૂર્વ તરફ વહેવા લાગે છે અને વૈશ્વિક વાયુમંડલીય સર્કુલેશનનું સંતુલન બગડી જાય છે. ભારતીય ચોમાસાના સંદર્ભમાં વાત કરીએ તો આ ચોમાસું હવાના સામાન્ય પ્રવાહને બાધિત કરે છે. ભેજથી ભરેલી હવાઓને ભારતીય ઉપમહાદ્વીપથી દૂર લઈ જાય છે. જેના કારણે ભારતમાં વરસાદ સામાન્યથી ઓછો થાય છે. દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી કરે છે.#havamana_vibhag #al_nino #kisan_samman_nidhi #pradhan_mantri #dakshin_pashchim_chomasa
